Saturday, November 10, 2012


બાળક મનને રાત દિન અનેક ચાહ હોય,
શું કરવું નશીબ માં ,બસ માત્ર રાહ હોય ?

સ્વ્પ્ન નવા જિવન માં વાવું તો કઇ રીતે ?
પાનખર જિંદગીમાં જ્યાં બારે માંહ હોય.

વસ્તુઓ મન ગમતી ,  અનેક ત્યજી છે .
કોઇ ખાસ મિત્રની જેના પર નિગાહ હોય.

તોય લાગણીઓના ખજાના વહેંચ્યા છે ,
એક તરફ દિલના ખુણે ખુણા તબાહ હોય.

ટેવ પ્રમાણે સત્ય મૂંહફાટ બોલુ છું,
એ રીતે જુવે આ દુનિયા કે મોટા ગુનાહ હોય.

જય શાહ



No comments:

Post a Comment

Followers

Blog Archive