બાળક મનને રાત દિન અનેક ચાહ હોય,
શું કરવું નશીબ માં ,બસ માત્ર રાહ હોય ?
સ્વ્પ્ન નવા જિવન માં વાવું તો કઇ રીતે ?
પાનખર જિંદગીમાં જ્યાં બારે માંહ હોય.
વસ્તુઓ મન ગમતી , અનેક ત્યજી છે .
કોઇ ખાસ મિત્રની જેના પર નિગાહ હોય.
તોય લાગણીઓના ખજાના વહેંચ્યા છે ,
એક તરફ દિલના ખુણે ખુણા તબાહ હોય.
ટેવ પ્રમાણે સત્ય મૂંહફાટ બોલુ છું,
એ રીતે જુવે આ દુનિયા કે મોટા ગુનાહ હોય.
જય શાહ